મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે નવા બની રહેલા બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાયેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં ટુંકી સારવાર દરમિયાન નાની વાવડી ગામના ગરાસીયા યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાની વાવડી ગામના રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા જાતે દરબાર નામનો ૩૬ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પ નજીકના ઈન્દ્ર પ્લાજા નામના નવા બાંધકામ થઈ રહેલા બીલ્ડીંગના ચોથા માળે હતો અને ત્યાં એક દુકાનના રવેશમાંથી બીજી દુકાનના રવેશમાં જતા સમયે ત્યાં પાણી ભરેલ હોય પગ લપસી જતાં ચોથા માળેથી રાજેન્દ્રસિંહ જાડેજા નિચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં ટુંકી સારવાર દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે તેમના મોટાભાઇ કનકસિંહ દોલુભા જાડેજાએ પોલીસને જાણ કરતા બી ડિવિજન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.

બાઈક બોલેરો સાથે અથડાતાં બે ને ઈજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જતું બાઈક સામેથી આવતી સ્કોર્પિયો સાથે અથડાતા રોહિત મુકેશ વરાણીયા (૧૮) રહે.ત્રાજપર તેમજ માંગીલાલ ઉધીલાલ બામણીયા (૧૯) રહે. સિમ્પોલો સીરામીક વાળાઓને ઈજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

પૈસા પરત માંગતા માર પડ્યો

મોરબીના સામાકાંઠે પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા શંકરભાઈ છગનભાઈ મીઠાપરા નામના ૪૨ વર્ષના આધેડને મારામારીમાં ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં નિવેદનમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓએ પોતાના પુત્રને હાથ ઉછીના પૈસા આપ્યા હતા જે પૈસા પરત માંગતા તેમના પુત્રની વહુએ બોલાચાલી કરીને પૈસા બાબતે ઝઘડો કરી માર માર્યો હતો જેથી તેની સારવારમાં ખસેડાયા હતા..!

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News