મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત


SHARE















મોરબીના મહેન્દ્રનગર પાસે ચોથા માળેથી નિચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે નવા બની રહેલા બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાયેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં ટુંકી સારવાર દરમિયાન નાની વાવડી ગામના ગરાસીયા યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાની વાવડી ગામના રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા જાતે દરબાર નામનો ૩૬ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પ નજીકના ઈન્દ્ર પ્લાજા નામના નવા બાંધકામ થઈ રહેલા બીલ્ડીંગના ચોથા માળે હતો અને ત્યાં એક દુકાનના રવેશમાંથી બીજી દુકાનના રવેશમાં જતા સમયે ત્યાં પાણી ભરેલ હોય પગ લપસી જતાં ચોથા માળેથી રાજેન્દ્રસિંહ જાડેજા નિચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં ટુંકી સારવાર દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે તેમના મોટાભાઇ કનકસિંહ દોલુભા જાડેજાએ પોલીસને જાણ કરતા બી ડિવિજન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ હાથ ધરી છે.

બાઈક બોલેરો સાથે અથડાતાં બે ને ઈજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જતું બાઈક સામેથી આવતી સ્કોર્પિયો સાથે અથડાતા રોહિત મુકેશ વરાણીયા (૧૮) રહે.ત્રાજપર તેમજ માંગીલાલ ઉધીલાલ બામણીયા (૧૯) રહે. સિમ્પોલો સીરામીક વાળાઓને ઈજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

પૈસા પરત માંગતા માર પડ્યો

મોરબીના સામાકાંઠે પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા શંકરભાઈ છગનભાઈ મીઠાપરા નામના ૪૨ વર્ષના આધેડને મારામારીમાં ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા. બાદમાં નિવેદનમાં તેઓએ પોલીસને જણાવ્યા પ્રમાણે, તેઓએ પોતાના પુત્રને હાથ ઉછીના પૈસા આપ્યા હતા જે પૈસા પરત માંગતા તેમના પુત્રની વહુએ બોલાચાલી કરીને પૈસા બાબતે ઝઘડો કરી માર માર્યો હતો જેથી તેની સારવારમાં ખસેડાયા હતા..!

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News