મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ


SHARE













મોરબીના પાડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી આ મંદિરના મહંત ગુલાબગીરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ખાસ કરીને શિવજીના શિવલીંગ પાસે શણગાર કરવામાં આવ્યો હતો અને શિવજીની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી જે ખરેખર નયન રમ્ય લાગતી હતી અને આ દર્શન કરવાનો લાભ શિવભક્તો દ્વારા આજે લેવામાં આવ્યો હતો અને આમ જન્માષ્ટમી પર્વની ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા હતા




Latest News