મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને શુકરવારે એલપીજી કનેકશન અપાશે


SHARE















મોરબીમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત લાભાર્થીઓને શુકરવારે એલપીજી કનેકશન અપાશે

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨  “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦નું અમલીકરણ શરૂ કરાયેલ છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦અંતર્ગત સમગ્ર રાજ્યને કેરોસીન મુકતકરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા  યોજના-૨.૦અંતર્ગત મોરબી જિલ્લાના બાકી રહેલા એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ આપવા માટે આગામી તા.૧૭/૦૯/૨૦૨૧ ના રોજ જિલ્લામાં નવ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે મોરબી નગરપાલીકા કક્ષાનો નગરપાલીકા ટાઉનહોલ તથા મોરબી ગ્રામ્ય કક્ષાનો પટેલ સમાજવાડી સકત શનાળા ખાતે, ટંકારા ગ્રામ્ય કક્ષાનો ઓરપેટ વિદ્યાલય, હળવદ નગરપાલીકા ગ્રામ્ય કક્ષાનો સરસ્વતી શીશુ મંદિર હોલ, હળવદ ગ્રામ્ય કક્ષાનો સેકન્ડરી સ્કુલ ટીકર(રણ), માળીયા નગરપાલીકા કક્ષાનો કન્યા શાળા માળીયા, માળીયા ગ્રામ્ય કક્ષાનો માધ્યમીક શાળા ખાખરેચી, વાંકાનેર નગરપાલીકા કક્ષાનો તાલુકા શાળા નં.-૧ બી.આર.સી. ભવન ગ્રીન ચોક વાંકાનેર, તેમજ વાંકાનેર ગ્રામ્ય કક્ષાનો ક્ષત્રીય સમાજવાડી વઘાસીયા ખાતે કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવશે.






Latest News