મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં વેક્સીનેશનનું મહા અભિયાન


SHARE







નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં વેક્સીનેશનનું મહા અભિયાન


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીનેશનનું મહા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં  ૩૦૧ વેક્સીનેટર દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે મીડિયાકર્મીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હાલે સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે અને તેમાંય મોરબી જિલ્લાની કામગીરી પણ સંતોષજનક રહી છે. ત્યારે તા. ૧૭-૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર જિલ્લામાં તમામ ૫ તાલુકા અને ૪ નગરપાલિકા સ્તરની કામગીરી માટે માઇક્રો લેવલની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોમાં રહેલ ધાર્મિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરીને વેક્સીનેશનનું મહત્વ સમજાવવામાં આવશે.

સમગ્ર કામગીરી માટે સમગ્ર જિલ્લામાં ૩૦૧ જેટલા વેક્સીનેશન સેન્ટરમાં તાલુકાઓમાં ૨૪૫ અને નગરપાલિકા વિસ્તારમાં ૫૬ વેક્સીનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ જેટલાં મોબાઇલ વેક્સીનેટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૦ હજાર જેટલા વેક્સીનના ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. હાલે સમગ્ર મોરબી જિલ્લામાં ૬૭% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ હોવાનુ પણ કલેકટર જે.બી.પટેલ દ્વારા જણાવાયું હતું

કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લાના તલાટી, બીએલઓ, આંગણવાડી વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, શિક્ષકો સહિતનો સ્ટાફ જોડાશે. મોરબી જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરની વયના જેનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો અને જેમના બીજા ડોઝની તારીખ આવી ગઇ હોય તેવા તમામ લોકોએ વેક્સીન લઇને વહિવટી તંત્રની કામગીરીમાં જોડાવવા અને વેક્સીન લઇને કોરોના સામે રક્ષણ મેળવવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અપીલ કરી છે. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર પણ હાજર રહ્યા હતા.






Latest News