મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીનાં ચકમપર-જીવાપર ગામ વચ્ચે ઘોડાદ્રાઈ નદી ઉપર બની રહેલા બ્રિજના કામમાં લોટ પાણીને લાકડા !


SHARE





મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમા છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી

લોકોની સુખકરીમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા રોડ રસ્ત અને પુલ ના કામ મંજૂર કરવામાં આવે છે જો કે સ્થાનિક અધિકારીઓની બેદરકારીના લીધે આ કામ નબળા કરવામાં આવે છે જેથી લોકોને હેરાન થવું પડે છે આવી જ સ્થિતિ મોરબી નજીકના ચકમપર અને જીવાપર ગામ પાસે છે કેમ કે, મોરબી તાલુકાનાં ચકમપર અને જીવાપર ગામ વચ્ચે આવેલ ઘોડાદ્રાઈ નદી ઉપર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ સારું થાય તે માટે અથવા તો હલકી ગુણવત્તાનું કામ રોકવા માટે અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી હાલમાં કોન્ટ્રાકટર વર્ક ઓર્ડર મુજબ કામ કરતો નથી અને બ્રિજના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે અધિકારીઓની બેદરકારીના લીધે હલકી ગુણવત્તાનું બ્રિજનું કામ કરવામાં આવે અને ભવિષ્યમાં મોટી હોનારત થાય અથવા તો બ્રિજ તૂટી જાય તેમ છે જેથી કરીને આ કામ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તેવી ચકમપર અને જીવાપર ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે




Latest News