માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે


SHARE

















મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આગામી શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે


મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે કેગુજરાતના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગામી શનિવારેને તા ૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે  મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે ત્યારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના અગ્રણી અને મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ નીરાજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, સહિતનાની ટિમ જહેમત ઉઠાવી રહી છે




Latest News