મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આગામી શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે


મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે કેગુજરાતના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગામી શનિવારેને તા ૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે  મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે ત્યારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના અગ્રણી અને મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ નીરાજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, સહિતનાની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News