મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી, ચિટિંગના ગુનામાં રાજપરના શખ્સ સહીતનાઓની શોધખોળ મોરબીમાં સાયબર ફ્રોડથી બેંક એકાઉન્ટમાં આવેલ કરોડો રૂપિયા સગેવગે કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબી સેન્ટ મેરી સ્કૂલ પાસે ચાઈનીઝની દુકાને બોલાચાલી બાદ સામસામે મારામારી: ઈજાગ્રસ્તનો સારવારમાં મોરબીના લાલપર ગામ પાસે રહેતા પરિવારના એક વર્ષના બાળકનું મોત વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં દીકરી સાથે પ્રેમ કરતાં શખ્સે લગ્નની વાત કરતાં થયેલ મારામારીમાં વૃદ્ધની હત્યા: સામસામી ફરિયાદ  મોરબીમાં પત્રકાર અને પોલીસ વચ્ચે યોજાયેલ ફ્રેંડલી ક્રિકેટ મેચમાં રનની સાથે અખૂટ આનંદના પણ ઢગલા
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો


SHARE















મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો

સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર સાર્થક સ્કુલ ખાતે યોજાયો હતો.ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોષના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન તેમજ બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે આ બધુ શીખવવા તેની વિસ્તારથી સમજૂતી  આપવામાં આવી હતી.વૈદિક પેરેન્ટિંગના ૧૦૦ સૂત્ર છે.જે મનોવિજ્ઞાનને આધારે લખાયેલા છે.તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે.તે વાતની તેઓએ સર્વે વાલીઓને અનુભૂતિ કરાવી હતી.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં શાળા સંચાલક મંડળના કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતુ. જ્ઞાનસભર આ કાર્યક્રમ સર્વે માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.






Latest News