માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો


SHARE













મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો

સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર સાર્થક સ્કુલ ખાતે યોજાયો હતો.ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોષના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન તેમજ બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે આ બધુ શીખવવા તેની વિસ્તારથી સમજૂતી  આપવામાં આવી હતી.વૈદિક પેરેન્ટિંગના ૧૦૦ સૂત્ર છે.જે મનોવિજ્ઞાનને આધારે લખાયેલા છે.તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે.તે વાતની તેઓએ સર્વે વાલીઓને અનુભૂતિ કરાવી હતી.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં શાળા સંચાલક મંડળના કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતુ. જ્ઞાનસભર આ કાર્યક્રમ સર્વે માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.






Latest News