હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ

તાજેત્તરમાં મુંબઈમાં તોતિંગ હોર્ડીંગ બોર્ડ તૂટીને પડ્યું હતું જેથી કરીને ૧૬ લોકોના મોત થયા છે અને ૭૫ જેટલા લોકોને ઇજાઓ થયેલ છે તો પણ જોખમી બોર્ડને હટાવવામાં આવતા નથી તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી એક બોર્ડ ઉડીને સ્કૂટર વાળા ઉપર પડ્યું હતું જેમાં તે માંડમાંડ બચેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરીને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ બોર્ડ હટાવવા માટેની માંગ કરેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રસ્તાઓ ઉપર બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર હોર્ડીંગ બોર્ડ ઊભા કરવામાં આવેલ છે જે ગમે ત્યારે કોઇની માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને તાજેતરમાં મહેન્દ્રનગર ચોકડી કમોસમી વરસાદ સમયે જે હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી તેમાંથી બોધ લઈને કોઈ જીવલેણ ઘટના બને તે પહેલા મોરબી શહેરમાંથી તમામ જોખમી અને મંજૂરી વગરના બોર્ડને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપર ગામ, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ, અને ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધીના વિસ્તારોમાં હોર્ડિંગ્સ આડેધડ લગાવેલા છે. જે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તે પહેલા તેને દૂર કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે






Latest News