મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ

તાજેત્તરમાં મુંબઈમાં તોતિંગ હોર્ડીંગ બોર્ડ તૂટીને પડ્યું હતું જેથી કરીને ૧૬ લોકોના મોત થયા છે અને ૭૫ જેટલા લોકોને ઇજાઓ થયેલ છે તો પણ જોખમી બોર્ડને હટાવવામાં આવતા નથી તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી એક બોર્ડ ઉડીને સ્કૂટર વાળા ઉપર પડ્યું હતું જેમાં તે માંડમાંડ બચેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરીને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ બોર્ડ હટાવવા માટેની માંગ કરેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રસ્તાઓ ઉપર બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર હોર્ડીંગ બોર્ડ ઊભા કરવામાં આવેલ છે જે ગમે ત્યારે કોઇની માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને તાજેતરમાં મહેન્દ્રનગર ચોકડી કમોસમી વરસાદ સમયે જે હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી તેમાંથી બોધ લઈને કોઈ જીવલેણ ઘટના બને તે પહેલા મોરબી શહેરમાંથી તમામ જોખમી અને મંજૂરી વગરના બોર્ડને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપર ગામ, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ, અને ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધીના વિસ્તારોમાં હોર્ડિંગ્સ આડેધડ લગાવેલા છે. જે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તે પહેલા તેને દૂર કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે






Latest News