મોરબીની વાવડી ચોકડી નજીકથી ૩૩૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, માલ મોકલનારની શોધખોળ શરૂ
માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત
SHARE






માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત
મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવાન અને બે સગીર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા તે ઘટનાની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે ત્રણેયના મોત નિપજ્યાં હતા અને તે બાળકોના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા
જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના વર્ષામેડી ગામે રહેતા ત્રણ બાળકો બુધવારે બપોરના સમયે ગામ તરફ જવાના રસ્તે ભરાઈ રહેલા પાણીમાં ડૂબી જવાથી ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (૧૨), શૈલેષ અમરશીભાઇ (૮) અને મેહુલ ભુપતભાઇ મહાડિયા (૧૦) નામના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેયના મોત નિપજ્યાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ બાળકો ઘેર કોઈને કહ્યા વગર પાણીમાં ન્હાવા માટે ગયા હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે


