માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત


SHARE













માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવાન અને બે સગીર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા તે ઘટનાની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે ત્રણેયના મોત નિપજ્યાં હતા અને તે બાળકોના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના વર્ષામેડી ગામે રહેતા ત્રણ બાળકો બુધવારે બપોરના સમયે ગામ તરફ જવાના રસ્તે ભરાઈ રહેલા પાણીમાં ડૂબી જવાથી ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (૧૨), શૈલેષ અમરશીભાઇ (૮) અને મેહુલ ભુપતભાઇ મહાડિયા (૧૦) નામના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેયના મોત નિપજ્યાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ બાળકો ઘેર કોઈને કહ્યા વગર પાણીમાં ન્હાવા માટે ગયા હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News