મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત


SHARE













માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવાન અને બે સગીર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા તે ઘટનાની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે ત્રણેયના મોત નિપજ્યાં હતા અને તે બાળકોના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના વર્ષામેડી ગામે રહેતા ત્રણ બાળકો બુધવારે બપોરના સમયે ગામ તરફ જવાના રસ્તે ભરાઈ રહેલા પાણીમાં ડૂબી જવાથી ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (૧૨), શૈલેષ અમરશીભાઇ (૮) અને મેહુલ ભુપતભાઇ મહાડિયા (૧૦) નામના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેયના મોત નિપજ્યાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ બાળકો ઘેર કોઈને કહ્યા વગર પાણીમાં ન્હાવા માટે ગયા હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News