મોરબીના રંગપર ગામ પાસે બાઇક  ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું સારવારમાં મોત મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા અવારનવાર સિનિયર સિટીઝનો માટે ઉપયોગી તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.જે પૈકી આગામી રવિવારે પણ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં લાગુ પડતા રોગોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે.

મોરબી સિનિયર સીટીઝન સંસ્થા તરફથી આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ ખાતે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ એટલે કે વૃધ્ધોને લગતા રોગો નિષ્ણાંત એવા ડો.પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે લેકચર રાખેલ છે.તથા લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા તરફથી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.જેથી સિનિયર સીટીઝન સંસ્થાના તમામ સભ્યને હાજર રહેવા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News