નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક


SHARE





ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ની સંગઠનાત્મક નિમણુંકો કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયાની નિમણુંક કરવામાં આવી છે.

હાલમાં મોરબીમા વકિલાતનો વ્યવસાય કરતા સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયા વર્તમાન મા પ્રભારી કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પુર્વમાં ABVP અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મા ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી  મા અલગ અલગ જવાબદારીઓ વહન કરેલ હતી આ ઉપરાંત કેશવ ક્રેડિટ સોસાયટી મોરબી બ્રાન્ચ - ડિરેક્ટર ૨૦૨૧ થી ૨૦૨૩, પ્રભારી ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જેવી અનેક જવાબદારીઓ વહન કરેલ છે. તેઓનો અભ્યાસ બી.કોમ,એમ.એસ.ડબલ્યુ,એલ.એલ.બી સુધીનો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી દ્વારા કુલ ૨૧ પદાધિકારીઓની નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના સુખદેવ રમેશભાઈ દેલવાણીયાને પ્રદેશ ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે.




Latest News