કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીના કુવાની અંદર કોઈ અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક રસિકગઢ ગામે રહેતાને ખેતી કામ કરતા યાસીનભાઈ અહમદભાઈ માથાકિયા જાતે મોમીન (40)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વલીમહમદભાઈ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીએ પાણીના કૂવામાં કોઈ પણ કારણોસર કોઈ અજાણ્યો 30 થી 40 વર્ષનો યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News