મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૯ જૂને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના: મોરબી જીલ્લામાં ત્રણ મહિનામાં ૬.૫ કરોડની સહાય મંજૂર મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી
Breaking news
Morbi Today

વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીના કુવાની અંદર કોઈ અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક રસિકગઢ ગામે રહેતાને ખેતી કામ કરતા યાસીનભાઈ અહમદભાઈ માથાકિયા જાતે મોમીન (40)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વલીમહમદભાઈ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીએ પાણીના કૂવામાં કોઈ પણ કારણોસર કોઈ અજાણ્યો 30 થી 40 વર્ષનો યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News