વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE

















વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીના કુવાની અંદર કોઈ અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક રસિકગઢ ગામે રહેતાને ખેતી કામ કરતા યાસીનભાઈ અહમદભાઈ માથાકિયા જાતે મોમીન (40)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વલીમહમદભાઈ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીએ પાણીના કૂવામાં કોઈ પણ કારણોસર કોઈ અજાણ્યો 30 થી 40 વર્ષનો યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.




Latest News