મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રસિકગઢ નજીક વાડીના કુવામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડીના કુવાની અંદર કોઈ અજાણ્યો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક રસિકગઢ ગામે રહેતાને ખેતી કામ કરતા યાસીનભાઈ અહમદભાઈ માથાકિયા જાતે મોમીન (40)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, રસિકગઢ ગામમાં ભાટિયા સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વલીમહમદભાઈ ઇબ્રાહીમભાઇ માથકીયાની વાડીએ પાણીના કૂવામાં કોઈ પણ કારણોસર કોઈ અજાણ્યો 30 થી 40 વર્ષનો યુવાન પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે.








Latest News