મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ યુવાનની હત્યા


SHARE











મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ યુવાનની હત્યા

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રાત્રિના સમયગાળા દરમિયાન મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતા યુવાનને પૂઠના ભાગે તીક્ષણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા. જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે. તેમજ હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જોકે, હત્યા શા માટે અને કોના દ્વારા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી શહેર અને જિલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ, હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, છરીના હુમલા વગેરે જેવી ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય બનતી જતી હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. શનિવારે સાંજે મોરબીમાં ફિલ્મી સ્ટાઇલથી કાર ઉપર કાર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલો પણ કરવામાં આવ્યો હતો જેની સહી સુકાઈ નથી. ત્યાં રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં મોરબીના ખાટીવાસ વિસ્તારમાં મમુદાઢીના રહેણાંક મકાન પાસે યુવાનને પૂઠના ભાગે તીક્ષ્ણ હથિયારના પાંચ જેટલા ઘા ઝીકિ દેવામા આવ્યા હતા. જેથી તે યુવાનોનું મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સાથે પહોંચી હતી અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા હતા અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતો તોફિક ઉર્ફે ભાયલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (30) હોવાનું એસએમે આવ્યું છે જો કે, તેને કોણે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને શા માટે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ એકથી વધુ લોકો દ્વારા આ યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને તિક્ષણ હથિયારના ઘા ઝીકિ દેવામાં આવતા તેનું મોત નીપજયું છે જેથી કરીને પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.








Latest News