મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા વિભાગીય નિયામકને રજુઆત


SHARE













હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા વિભાગીય નિયામકને રજુઆત

હળવદ-મોરબી બસને સીધી રાજકોટ કરવા બાબતએ અહિંના જાગૃત નાગરીક અને એસટી વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજકોટ વિભાગીય નિયામકને રજુઆત કરેલ છે.

ઉપરોકત વિષયે તેઓએ વધુમાં જણવેલ છે કે ઉપર મુજબનો રૂટ હળવદથી સવારે ઉપડીને મોરબી આવે છે અને મોરબી આવીને પરત ધ્રાંગધ્રા જાય છે.આ તદન બીન જરૂરી બસ ચાલે છે.આ સમયે ભીમકટા સુરેન્દ્રનગરની બસ ઉપડે જ છે જે પણ ધ્રાંગધ્રા જાય  છે.તેથી બંને બસો પેરેલલ થાય છે જો આ હળવદ મોરબી બસને સીધી રાજકોટ કરવામાં આવે અને હળવદથી સવારે ૫-૩૦ નો ટાઈમ રાખવામાં આવે તો અહીયા હળવદ ખાતે આવતી રેલ્વે ટ્રેઈન બરેલી ભુજ મા આવતા મુસાફર જનતા ને આ બસનો લાભ મળી શકે તેમ છે અને આ બસને હળવદ રાજકોટ લોકલ રાખવી જરૂરી છે જેથી હળવદ થી મોરબી આવતા ગ્રામ્ય મુસાફરનો લાભ મળે હાલમાં હળવદ થી બાંટવા સવારે ૫-૪૫ ઉપડે છે જે એકસપ્રેસ હોય ગ્રામ્ય વિસ્તારની જનતા લાભ લઈ શકતી નથી તેમજ મોરબી ધ્રાંગધ્રા જવા માટે સવારે ધણીજ બસો ચાલુ છે તો આ બસ સવારે ૭–૦૦ વાગ્યે ધ્રાંગધ્રા ચાલુ છે તે બીજ જરૂરી છે ને નિગમને એડા સાથે બે બસ ઉપડે છે જે નુકશાન કર્તા છે તો હળવદ નાઈટ પડી રહેતી બસ ને હળવદ રાજકોટ સવારે ૫-૩૦ નો ટાઈમ રાખવામાં આવે અને રેલ્વે ને મુસાફરનો આ બસનો લાભ મળે તે ધણુજ જરૂરી છે આ બાબતે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા મારી વિનંતી છે.








Latest News