તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા
SHARE
તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા
વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં લોકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન બાબતે અરજી લઈને પોલીસ દ્વારા ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન દેવજીભાઈ પાપોદરા અને જગદીશભાઈ રમેશભાઈ રંગપરા દ્વારા કેર પોર્ટલ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ટેકનિકલ વર્કઆઉટ કરીને વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 22 જેટલા વ્યક્તિઓના મોબાઇલ ફોન ખોવાયેલા કે ચોરેલા હોવા અંગેની જે અરજીઓ આવી હતી તેમાં મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે અને મોરબી જિલ્લાના એસપી મુકેશ પટેલ તથા ડીવાયએસપી સમીર સારડાની હાજરીમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોને તેના કુલ મળીને 3,72,128 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ કામગીરી વાંકાનેર સિટી પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ વી.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. #morbi #police