વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના રાતાવિરડા પાસે કારખાનામાં રહેતા યુવાને આર્થિક તંગીના ટેન્શનમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
વાંકાનેરના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય પૈસાની તંગી રહેતી હતી જેથી કરીને તે ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમ આવેલ વરમોરા સીરામીક યુનિટ નંબર 3 ના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પિયુષ આનંદકુમાર અગ્નિહોત્રી (19) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી અને પૈસાની તંગી રહેતી હતી જેથી કરીને તે યુવાન સતત ટેન્શનમાં રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તે યુવાને અંતિમ પગલું ભર્યું છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બાઈક ઉપર લટકતી થેલીમાંથી દારૂની બોટલો મળી
મોરબીમાં પરસોતમ ચોક પાસે શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર જીજે 36 એ 4568 પડ્યું હતું જેમાં એક પ્લાસ્ટિકની થેલી પણ ટીંગાડેલી હતી જેથી બાઇક ઉપર રહેલી થેલી ચેક કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2214 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 20,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ ફૂલ મળીને 22,214 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં બાઈક નંબરના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દારૂના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે. ચારેલ દ્વારા થોડા દિવસો પહેલા દારૂના ગુનામાં જબરારામ મોહનલાલ બીશ્નોઇ (૩૦) રહે.સાંચોર જાલોન રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના મોટી આમરણ ગામે વેરસિંગ ભવાનસિંહ ઉપર અશોકભાઈ જાકાસણીયાની વાડી ખાતે ચાર-પાંચ લોકો દ્વારા હુમલો કરી વેરસિંગને માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલા વેરસિંગભાઈને સારવાર માટે ખસેડાયા હતા.