મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો


SHARE











માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો

માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કાંટાની વાડમાંથી આવેલ નોળિયો તે યુવાનને સાથળના ભાગે કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ યુવાન હાલમાં પરત પોતાના ઘરે જતો રહ્યો છે પરંતુ અવારનવાર આવા બનાવો બનતા હોવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

સામાન્ય રીતે કુતરા બચકા ભરે, ગાય બચકા ભરે, ઘોડા બચકા ભરે આવા બનાવો જુદી જુદી જગ્યાએથી અવારનવાર સામે આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લાની વાત કરીએ તો માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામમાં નોળીયાનો આતંક હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા માળીયા તાલુકાના મોટાભેલા ગામે રહેતા જશુબેન રેવાભાઇ ખીટ (71) નામના વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતું અને આ વૃદ્ધાને 6 મહિના પહેલા નોળિયો કરડી ગયો હતો જેની અસર થવાથી તેને થોડા દિવસો પહેલા સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધનું મોત નીપજયું હતું. આ બનાવની શાહી સુકાઈ નથી ત્યાં બુધવારે સાંજના સમયે મોટાભેલા ગામે રહેતા અલ્પેશભાઈ કેશવજીભાઈ કલોલા નામનો યુવાનને નોળિયો કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જરૂરી રસી આપીને સારવાર કરવામાં આવી હતી ત્યાર બાદ યુવાન હાલમાં પોતાના ઘરે જતો રહ્યો છે વધુમાં મળતી વિગત પ્રમાણે અલ્પેશભાઈ કલોલા સાંજે તેના વાડામાં ડીઝલ નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વાડમાંથી આવીને નોળિયાએ તેને સાથળના ભાગે બચકું ભર્યું હતું જેથી તેની પકડાને છોડાવવા માટે નોળિયાને લાતો મરવામાં આવી ત્યાર બાદ નોળિયાએ યુવાનનો પગ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 માહિનામાં આ ગામમાં લોકોને નોળિયા કરડી જવાનો આ ચોથો બનાવ છે અને અગાઉ જે ત્રણ લોકોને નોળિયા કરડી ગયા હતા તેમાંથી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હાલમાં વધુ એક બનાવ બનતા ગામમાં મહિલાઓ, બાળકો સહિતના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.






Latest News