મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે ​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના લાલપર પાસે ટ્રક કન્ટેનરના ચાલકે કારને ટક્કર મારતા વાહનમાં 60 હજારનું નુકશાન
Breaking news
Morbi Today

હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત


SHARE













હળવદમાં ઘેરથી બાઈક લઈને નીકળી ગયેલા યુવાને નર્મદાની કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત

હળવદમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ માનસર ગામ પાસે નર્મદાની કેનાલના સાઇફન પાસે પોતાનો મોબાઈલ તથા બાઇક મૂકીને કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મૂળ રણજીતગઢ ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં આવેલ શ્રીજી નગર સોસાયટીમાં રહેતા મનસુખભાઈ સોનાગ્રાનો 18 વર્ષનો દીકરો સુજલ ગત તા. 14/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈને નીકળી ગયો હતો અને ત્યારબાદ હળવદના માનસર પાસે નર્મદાની કેનાલના સાઇફન નજીક તેણે પોતાનું બાઈક અને મોબાઈલ મૂકી દીધો હતો અને ત્યારબાદ નર્મદાના કેનાલના પાણીમાં તેને ઝંપલાવ્યું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે નર્મદાની કેનાલમાંથી યુવાનના મૃતદેને ગઈકાલે મોડી રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા મનસુખભાઈ નાનજીભાઈ સોનાગ્રા (42) રહે. શ્રીજી સોસાયટી હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના લાલપર ગામે રહેતા નિલેશભાઈ જયંતીભાઈ નામના વ્યક્તિ જોધપર નદી ગામ પાસેથી લાલપર જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા ગુલાબગીરી દયાલગીરી ગોસ્વામી (55) નામના આધેડ આંદરણા ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News