હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ
SHARE
હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ
ટીનાભાઈને મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા, આરોપી નશામાં હતા તેવો આક્ષેપ
હળવદમાં કિરણ નામના શખ્સ અને તેની સાથેના માણસોએ ઢોર માર મારી, છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા હતા.જેથી ટીનાભાઇને ગંભીર હાલતમાં મોરબી બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.આરોપીઓ નશામાં હતા તેવો આક્ષેપ કરાયો છે.હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ટીનાભાઈ ચતુરજી ઠાકોર (ઉંમર વર્ષ ૪૨) રહે. હળવદ રેલ્વે સ્ટેશન પાસે ગઈ તા.૧૦ ના રોજ સાંજે ૭ વાગ્યા આસપાસ વેગડવાવ ફાટક પાસે હતા.ત્યારે કિરણ અને તેની સાથેના માણસોએ તેમને માર મારતા પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ બાદ, મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.વધુમાં તેમના પરિવારે જણાવ્યું છેકે, ટીનાભાઇ મજુરી કામ કરે છે.તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે.તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.તેઓને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે પાડોશી મુકેશભાઈ ત્યાંથી પસાર થયા હતા.ઇજાગ્રસ્ત ટીનાભાઇને હોસ્પિટલે ખસેડ્યા હતા.પોલીસને જાણ કરાઈ હતી.હળવદ હોસ્પિટલમાં એક દિવસ દાખલ રાખ્યા બાદ ટીનાભાઇને રજા આપાતા ઘરે આવ્યા હતા.જોકે ફરી તબિયત બગડતા મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હળવદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી









