મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો


SHARE













વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો

1111 દીપની મહાઆરતીનુ આયોજન: રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ કે જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઈઓ-બહેનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.‘માર્કેટ ચોક કા રાજા’ પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાય છે.

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા અને તમામ પંડાલોના આયોજકોને જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલમાં બિરાજમાન દુંદાળાદેવ ગણેશજી સમક્ષ રાખવામા આવતી માનતા અવશ્ય પુરી થાય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખેલ માનતા આ વર્ષે ભકતજનો પુરી કરતા ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં 1111 દીપ સાથે મહારઆરતી યોજાઈ હતી. આ પંડાલમાં રાત્રે 9 કલાકથી કાર્યક્રમો શરૂ થાય તે પહેલા ગણેશ કતો સાંજે 7-30 કલાકથી જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી રામધામના સ્વપ્ન દ્વારા જીતુભાઈ સોમાણી દ્વારા આ સુંદર આયોજન બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ ઓઢાડી તેઓને જાહેરમાં સન્માનીત કરાયા હતા.






Latest News