વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો


SHARE













વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો

1111 દીપની મહાઆરતીનુ આયોજન: રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ કે જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઈઓ-બહેનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.‘માર્કેટ ચોક કા રાજા’ પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાય છે.

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા અને તમામ પંડાલોના આયોજકોને જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલમાં બિરાજમાન દુંદાળાદેવ ગણેશજી સમક્ષ રાખવામા આવતી માનતા અવશ્ય પુરી થાય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખેલ માનતા આ વર્ષે ભકતજનો પુરી કરતા ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં 1111 દીપ સાથે મહારઆરતી યોજાઈ હતી. આ પંડાલમાં રાત્રે 9 કલાકથી કાર્યક્રમો શરૂ થાય તે પહેલા ગણેશ કતો સાંજે 7-30 કલાકથી જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી રામધામના સ્વપ્ન દ્વારા જીતુભાઈ સોમાણી દ્વારા આ સુંદર આયોજન બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ ઓઢાડી તેઓને જાહેરમાં સન્માનીત કરાયા હતા.






Latest News