વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો


SHARE

















વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભાવિકોનો ભારે ધસારો

1111 દીપની મહાઆરતીનુ આયોજન: રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ

વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલિત શ્રી ગણેશ ઉત્સવ સમિતિના ‘માર્કેટ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવ કે જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશ ભકત ભાઈઓ-બહેનોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.‘માર્કેટ ચોક કા રાજા’ પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાય છે.

ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્ર્વકર્મા મંદિર ખાતેથી યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા અને તમામ પંડાલોના આયોજકોને જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા.લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલમાં બિરાજમાન દુંદાળાદેવ ગણેશજી સમક્ષ રાખવામા આવતી માનતા અવશ્ય પુરી થાય છે. ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખેલ માનતા આ વર્ષે ભકતજનો પુરી કરતા ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

પંડાલમાં 1111 દીપ સાથે મહારઆરતી યોજાઈ હતી. આ પંડાલમાં રાત્રે 9 કલાકથી કાર્યક્રમો શરૂ થાય તે પહેલા ગણેશ કતો સાંજે 7-30 કલાકથી જગ્યા મેળવવા ઉમટી પડતા હોય છે.શ્રી ગણેશ ઉત્સવ સમિતિના મોભી રામધામના સ્વપ્ન દ્વારા જીતુભાઈ સોમાણી દ્વારા આ સુંદર આયોજન બદલ વિવિધ જ્ઞાતિના મોભીઓ દ્વારા સાલ ઓઢાડી તેઓને જાહેરમાં સન્માનીત કરાયા હતા.




Latest News