મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા


SHARE







વર્લ્ડ હાર્ટ ડે: મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન-સાયકલો થ્રોન યોજાઇ, 1,500થી વધુ લોકોએ ભાગ લીધો, વિજેતાઓને સન્માનિત કરાયા
 
આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે જુદા જુદા શહેરોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન અને સાયકલો થ્રોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા 1,500થી વધુ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બે, પાંચ અને દસ કિલોમીટરની મેરથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને શિલ્ડ, રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા 
 
કોરોના પછીથી હાર્ટ એટેકના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને હાર્ટ અટેકથી બચવા માટે થઈને યોગા કરવામાં આવે તેમજ જો દૈનિક ચાલવાનું રાખવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે તેવુ ડોક્ટરો પણ કહી રહ્યા છે ત્યારે આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે મોરબીમાં કાર્ડિયાર્ક અવેરનેશના ભાગરૂપે સાઇકલો થ્રોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના ઉમિયા સર્કલથી લઈને મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પાર્ટી પ્લોટ ખાતે આ મેરેથોન અને સાયક્લોથ્રોનને પૂર્ણ કરવામાં આવી હતી. અને શહેરના રાજમાર્ગો ઉપરથી વહેલી સવારે લોકોએ દોડ લગાવી હતી અને આ મેરેથોન અને સાયક્લોથ્રોનમાં વિજેતા બનેલા તમામ વ્યક્તિઓને આયુષ હોસ્પિટલ દ્વારા રોકડ પુરસ્કાર, શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે મોરબી આઈ હોસ્પિટલના ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. અનિલભાઈ પટેલ, ડો. વિજયભાઈ ગઢીયા, ડો. આશિષભાઈ ત્રિવેદી, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા વિગેરે ડોક્ટરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.





Latest News