મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો


SHARE







મોરબીના મચ્છુ-2 ડેમમાં બે દિવસ પહેલા ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ આજે મળ્યો

મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાન કેનાલમાં બે દિવસ પહેલા ડૂબી ગયો હતો જે અંગેની જાણ કરવામાં આવી હતી જેથી કરીને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ આજે મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે 

 
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામે રહેતા વિપુલભાઈ ભુપતભાઈ કણસાગરા (22) નામનો યુવાન બે દિવસ પહેલા કોઈ કારણોસર લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને આ અંગેની જાણ જે તે સમયે ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી જેથી ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનલમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્યારે પાણીમાંથી યુવાન મળી આવ્યો ન હતો અને કેનાલમાં પાણી ચાલુ હોય પાણી મારફતે યુવાન મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો અને આજે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળી આવ્યો છે અને મૃતક યુવાનના ડેડબોડીને ફાયરની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે





Latest News