હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત


SHARE











મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત

મોરબીથી ઘણા લોકો દેવદર્શન માટે ઉત્તરાખંડ જાય છે ત્યારે આ મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વડાપ્રધાનને ઉત્તરાખંડ સુધીની ટ્રેન શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો દેશભરમાં સિરામિક ઉદ્યોગના કારણે જાણીતો છે. અને અહીની ટાઈલ્સ વિશ્વના ખુણે ખુણે જાય છે. પરંતુ અફસોસની વાતએ છે કે મોરબીને લાંબા અંતરની એક પણ ટ્રેન મળી નથી. ત્યારે આ જીલ્લાના મધ્યવર્ગના લોકો પણ જીવનમાં ચારધામની યાત્રા કરી શકે તે માટે ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે પરંતુ ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો ચારધામની યાત્રા કરી શકતા નથી. જેથી કરીને મોરબીથી ઉત્તરાખંડની સુધી અઠવાડિયામાં ત્રણ ટ્રેનની સુવિધા મળે તો મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકોને ચારધામની યાત્રાનો લાભ મળી શકે છે. માટે મોરબીથી ઉત્તરાખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે.






Latest News