મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગરમ રવાપર નદી, ભક્તિનાગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ
Breaking news
Morbi Today

મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત


SHARE















મોરબીથી ઉત્તરાખંડની ટ્રેન શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પીએમને રજૂઆત

મોરબીથી ઘણા લોકો દેવદર્શન માટે ઉત્તરાખંડ જાય છે ત્યારે આ મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વડાપ્રધાનને ઉત્તરાખંડ સુધીની ટ્રેન શરૂ કરવા માટેની લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો દેશભરમાં સિરામિક ઉદ્યોગના કારણે જાણીતો છે. અને અહીની ટાઈલ્સ વિશ્વના ખુણે ખુણે જાય છે. પરંતુ અફસોસની વાતએ છે કે મોરબીને લાંબા અંતરની એક પણ ટ્રેન મળી નથી. ત્યારે આ જીલ્લાના મધ્યવર્ગના લોકો પણ જીવનમાં ચારધામની યાત્રા કરી શકે તે માટે ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે પરંતુ ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો ચારધામની યાત્રા કરી શકતા નથી. જેથી કરીને મોરબીથી ઉત્તરાખંડની સુધી અઠવાડિયામાં ત્રણ ટ્રેનની સુવિધા મળે તો મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકોને ચારધામની યાત્રાનો લાભ મળી શકે છે. માટે મોરબીથી ઉત્તરાખંડ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે.






Latest News