મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે


SHARE













મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન: શનાળાના ઉમિયાનગરમાં આજે નવરંગો માંડવો યોજાશે

મોરબીના બગથળા ગામે આવેલા નકલંક મંદિરે દર વર્ષે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ-સંતવાણીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.2 નવેમ્બરના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કર્યું છે. અને સવારે 9:00 વાગ્યે મહાઆરતી અને અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 9:30 થી બગથળાની પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે 10 વાગ્યે સંતવાણી રાખવામા આવેલ છે જેમાં ભજનીક નારાયણ ઠાકર, હર્ષદ પટેલ અને લોકસાહિત્યકાર માનસૂર ગઢવી જમાવટ કરશે જેથી કરીને આ કાર્યક્રમનો સર્વે ભક્તોને લાભ લેવા માટે મંદિરના મહંત દમજી ભગતે આમંત્રણ પાઠવાયું છે.

નવરંગો માંડવો યોજાશે

મોરબીના શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આજે તા. 25 ઓક્ટોબરને શુક્રવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવેલ છે. ત્યારે આજે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન, સાંજે 6 કલાકે મહાપ્રસાદ, રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને ચાંદલીયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. આ રંગીલા મામાદેવના નવરંગા માંડવામાં પધારવા માટે પ્રવિણભાઈ માંડણભાઈ બારોટે સૌને આમંત્રણ પાઠવ્યું છે  






Latest News