બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત

મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થયેલ આધેડ અકસ્માતે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી 108 મારફતે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં જૂની શાક માર્કેટની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હિરાણી (53) નામના આધેડ રફાળેશ્વર નજીક કામ ઉપર ગયા હતા અને ત્યાંથી તે પરત આવી રહ્યા હતા દરમિયાન રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને શરીરે ગંભીર ઇજા થયેલ છે જેથી તેને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News