વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત

મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થયેલ આધેડ અકસ્માતે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી 108 મારફતે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં જૂની શાક માર્કેટની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હિરાણી (53) નામના આધેડ રફાળેશ્વર નજીક કામ ઉપર ગયા હતા અને ત્યાંથી તે પરત આવી રહ્યા હતા દરમિયાન રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને શરીરે ગંભીર ઇજા થયેલ છે જેથી તેને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News