વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જવાથી આધેડનું મોત

મોરબીના રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થયેલ આધેડ અકસ્માતે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી 108 મારફતે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે આધેડનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં જૂની શાક માર્કેટની પાછળના ભાગમાં રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હિરાણી (53) નામના આધેડ રફાળેશ્વર નજીક કામ ઉપર ગયા હતા અને ત્યાંથી તે પરત આવી રહ્યા હતા દરમિયાન રફાળેશ્વર રેલવે સ્ટેશન પાસ રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને શરીરે ગંભીર ઇજા થયેલ છે જેથી તેને 108 મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News