મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કારના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબીમાં ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કારના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર

મોરબીમાં બેઠા પુલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ ઉભી હતી અને ત્યારે નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને પસાર થયેલા શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બુલેટ ચાલાકે ટ્રાફિક પોલીસને હડફેટે લીધા હતા જેથી કરીને ફરજમાં રૂકાવટની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ હતો તેની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે.

મોરબીમાં પાડાપુલ નીચે બેઠા પુલ પાસે ટ્રાફિક પોલીસની ટીમ ચેકિંગની કામગીરી કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરનું બુલેટ લઈને આરોપી જુબેરભાઈ સરતાઝભાઈ શેખ પસાર થઈ રહ્યો હતો જેને રોકવા જતાં તેને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લાભુભાઈ બાલાસરાને હડફેટે લીધા હતા અને પોતાનું બુલેટ ઊભું ન રાખીને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી અને પોલીસ કર્મી લાભુભાઈને ઇજા કરી હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝનમાં મહેન્દ્રભાઈ ગઢવીએ જુબેરભાઈ સરતાઝભાઈ શેખ સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કર્યો હતો અને ત્યાર બાદ આ આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા આરોપીના 25000 ના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મનીષભાઈ ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયેલા હતા






Latest News