રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબી: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક પ્રકાશિત કરાયો


SHARE











મોરબી: માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક પ્રકાશિત કરાયો

દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિ, લોકનૃત્યો, પર્વો, મેળાઓ, મંદિરો, શિલ્પો, ગુજરાતની અસ્મિતા, વેશભૂષા, પહેરવેશોની આકર્ષક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબીના નાગરિકો આ અંક મેળવવા માટે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સ્થિત રાજેશ બૂક સ્ટોર અને મયુર એજન્સી રાજકોટ ખાતે સંપર્ક સાધી શકશે.






Latest News