વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં વ્યાજે લીધેલ રૂપિયાની શિક્ષક પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરની ધરપકડ, એકની શોધખોળ


SHARE











મોરબી તાલુકામાં વ્યાજે લીધેલ રૂપિયાની શિક્ષક પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના રાજપર ગામે રહેતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનને ધંધામાં રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી 10 ટકા વ્યાજ લેખે 50 લાખ રૂપિયા લીધેલા હતા જે પૈસા પાછા ન આપી શકતા ત્રણ વ્યક્તિઓ દ્વારા ફરિયાદીના ઘરે આવીને રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે વ્યાજખોરની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના રાજપર ગામે રહેતા અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઈ વડગાસિયા (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે. મોરબીગોપાલભાઈ ગજેન્દ્રભાઈ ભટ્ટ રહે. વીરપર અને માલદેભાઈ બાબુભાઈ આહીર રહે. સાંકેત ઇન્ડિયા શોરૂમની પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી 10 ટકા વ્યાજ લેખે તેણે 30 લાખ રૂપિયા લીધેલા હતા જ્યારે ગોપાલ ભટ્ટ પાસેથી તેણે 10 ટકા વ્યાજ લેખે 20 લાખ રૂપિયા લીધેલા હતા આમ આ બંને વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા ફરિયાદી યુવાન પાછા આપી ન શકતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફરિયાદી યુવાન તથા તેના ભાઈ મનીષભાઈને મારી નાખવાની ધમકી આપી ગાળો આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પીએસઆઈ ડી.ડી.જોગેલાએ આરોપી સુમિત ઉર્ફે ધામો બટુકભાઇ રાઠોડ (26) રહે. અશોકાલયના ઢાળ પાસે મોરબી અને ગોપાલભાઈ ઉર્ફે ગજેન્દ્રભાઈ પ્રતાપભાઈ ભટ્ટ (29) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે આ ગુનામાં હજુ એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News