મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ


SHARE











મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ લેખ સિરીઝમાં આજે આપણે દિવ્યાંગોને મળવાપાત્ર એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાય વિશે જાણકારી મેળવીશું..

આ યોજનાનો લાભ કોને- કોને મળી શકે છે તેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, દિવ્યાંગ વ્યકિત કે જેઓ ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય, ૮૦ % થી વધુ મુકબધિરપણું ધરાવતી વ્યક્તિ, ૮૦ % થી વધુ દ્રષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યકિત, ૭૦ % કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ, એવા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય તેને લાભ મળી શકે છે અને આ યોજના હેઠળ કયા કયા પ્રકારના લાભ મળી શકે તેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી. નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળી શકે છે. અને ૨૧ પ્રકારની વિવિધ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક સાથે જે તે વિભાગના નિષ્ણાંત તબીબ કે સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી અને આઈ.કયુ. દર્શાવતા પ્રમાણપત્ર, ૨ નંગ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોઝ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડની પ્રમાણિત નકલ, ઉંમરનો આધાર કે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડયાનું પ્રમાણપત્ર અને બ્લડ ગ્રુપનો દાખલો રાખવાનો હોય છે અને         આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે નજીકના જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયતનો સંપર્ક સાધી શકાય છે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર ૫ થી ૯, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. તેમજ અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૨૨- ૨૪૨૫૩૩ પરથી માહિતી મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાચવી રાખવી જોઈએ. અને આજ સુધીમાં મોરબી જીલ્લામાં ૫૭૦૦ થી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમજ વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૦ થી વધુ લાભાર્થીઓને ઉક્ત યોજનાનો લાભ મળ્યો છે.






Latest News