વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે


SHARE













મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ આયોજન કરવામાં આવ્યું છે અને રાહતદારે બંને વસ્તુ આપવામાં આવશે. જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરાના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ છે. 

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. અને ઉંધિયુ પ્રતિકીલો ૨૦૦ રૂપિયાના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો ૩૦૦ રૂપિયાના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪ ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતેથી આપવામાં આવશે. અને એડવાન્સ બુકિંગ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છનો સંપર્ક કરવા માટે યાદીમા જણાવ્યુ છે.








Latest News