માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે


SHARE

















મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિએ રાહતદારે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે

મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદીનુ આયોજન કરવામાં આવ્યું છે અને રાહતદારે બંને વસ્તુ આપવામાં આવશે. જલારામ મંદિર ખાતે શુધ્ધ ઘી ના અડદીયા, બદામપાક, ગુંદરપાક, મમરાના લાડું તથા વિવિધ પ્રકારની ચીકીનુ રાહતદરે વિતરણ અવિરત ચાલુ છે. 

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટ થી ભરપુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે. અને ઉંધિયુ પ્રતિકીલો ૨૦૦ રૂપિયાના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો ૩૦૦ રૂપિયાના ભાવે ઉપલબ્ધ રહેશે. બંને વસ્તુઓ ૫૦૦ ગ્રામ પેકિંગમાં પણ ઉપલબ્ધ રહેશે. અને ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪ ને મંગળવાર મકરસંક્રાંતિના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી રોડ ખાતેથી આપવામાં આવશે. અને એડવાન્સ બુકિંગ માટે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છનો સંપર્ક કરવા માટે યાદીમા જણાવ્યુ છે.




Latest News