વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો


SHARE

















ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો

ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા એક વ્યક્તિ ગુમ થયેલ હતી જેથી કરીને તા. 20/2/23ના રોજ જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેના મોટાભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (57) ટંકારા તાલુકાનાં નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9/1/23 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે ગયા હતા અને રમેશભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ટંકારા લઈ આવીને તેના નાનાભાઇ કાંતિભાઈ અઘેડાને સોંપી દેવામાં આવેલ છે.




Latest News