મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો


SHARE













ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો

ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા એક વ્યક્તિ ગુમ થયેલ હતી જેથી કરીને તા. 20/2/23ના રોજ જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેના મોટાભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (57) ટંકારા તાલુકાનાં નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9/1/23 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે ગયા હતા અને રમેશભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ટંકારા લઈ આવીને તેના નાનાભાઇ કાંતિભાઈ અઘેડાને સોંપી દેવામાં આવેલ છે.






Latest News