મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયો હતો તેમજ ઘરે સમયસર આવતો ન હતો જેથી તેના પિતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું અને યુવાને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી શેરી નં-3 માં રહેતા ક્રિસ દીપકભાઈ જાદવ (19) નામના યુવાને ગત તા. 26/ના રોજ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે મોડી રાતે મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દીપકભાઈ રામાભાઇ જાદવ (48) રહે. રોયલ પાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવની આગળની તપાસ અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયેલ હતો અને સમયસર ઘરે આવતો ન હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે તે યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેને એસીડ પીધું હતું અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે






Latest News