મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
Breaking news
Morbi Today

રાજકોટથી માતાએ લઈ આપેલા નવા સ્કૂટરમાં માટેલ દર્શન કરવા આવેલ દીકરા-નાનીનું વાહન અકસ્માતમાં મોત


SHARE













રાજકોટથી માતાએ લઈ આપેલા નવા સ્કૂટરમાં માટેલ દર્શન કરવા આવેલ દીકરા-નાનીનું વાહન અકસ્માતમાં મોત

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા 17 વર્ષના સગીરને તેની માતાએ નવું એક્સેસ સ્કૂટર લઈ આપ્યું હતું જેથી તે સગીર પોતાના નાનીને સ્કૂટરમાં પાછળ બેસાડીને વાંકાનેર તાલુકાના માટેલ ગામે ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને બીજા બાઈકના તેના મામા, મામી અને તેનો દીકરો તેઓની સાથે આવેલ હતા દરમિયાન વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલની સામેના ભાગમાં રોડ ઉપર ટ્રક ચાલકે સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સ્કૂટર ઉપર જઈ રહેલ સગીર તથા તેના નાનીને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટ નજીક આવેલ સાપર વેરાવળ ખાતે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં બજરંગ ફરસાણની બાજુમાં રહેતા પૂર્વેશભાઈ રમેશભાઈ પરમાર (38)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 14 જીએલ 8981 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં તેઓના માતા ગુલાબબેન રમેશભાઈ પરમાર (70)સાથે તેઓના બહેને બીજલબેન અને ભાણેજ રિકી દીપકભાઈ કવા (17) રહે છે અને ફરિયાદીના બહેન બીજલબેને તેના 17 વર્ષના દીકરા રિકી કવાને નવું એક્સેસ સ્કૂટર નંબર જીજે 25 એએફ 4513 લઈ આપ્યું હતું જેથી તે સ્કૂટર ઉપર રિકી તથા ફરિયાદીના માતા ગુલાબબેન અને ફરિયાદી પોતાના બાઈક ઉપર પોતાના પત્ની અને બાળક સાથે માટેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ગઈકાલે બપોરે સવા બે વાગ્યાના અરસામાં તેઓ માટેલથી પરત રાજકોટ જવા માટે નીકળ્યા હતા ત્યારે વાંકાનેર નજીક ટોલનાકા પાસે રિકીના સ્કૂટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના માતા ગુલાબબેને માથાના ભાગે ગંભીર જાત થઈ હતી અને રિકીને પણ મોઢા, નાક અને કાનના ભાગે ગંભીર ઇજા થવાથી વધુ પ્રમાણમાં લોહી નીકળી ગયું હતું જેથી 108 મારફતે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તે બંનેને જોઈ તપાસીને ફરિયાદીના માતા તથા ભાણેજને મૃત જાહેર કર્યા હતા જેથી અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News