ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન


SHARE













સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન

કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટેનો સંકલ્પ દિવસ એટલે જન્મદિવસ કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા 47 વર્ષ પુર્ણ કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠન ના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમજ સાથીઓ અને સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.


રાજય અને રાષ્ટ્ર તેમજ દીન: દુખીઓની ઇન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવનપથ ઉજાગર કરો એવિ ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા મેડિકલ કેમ્પ આયુષ હોસ્પિટલ, પક્ષીઓ માટે કુંડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધનસહાય, ટીબીગ્રસ્ત દર્દીઓને કીટ વિતરણ, ગાયોને નીરણ, બાળકોને શિક્ષણ કીટો, શ્રમિકોને રાશન કીટ વિતરણ, દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયોમાં ભોજન, સેવા અને સમર્પણ, લોકાર્પણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સાંસદના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે.








Latest News