મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન
મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક (આગાહીકાર) આજે મોરબીમાં આવ્યા છે અને મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે તેઓ રોકાયેલ છે અને ત્યાં સત્સંગ તેમજ ધર્મ પ્રેમી ભાઈઓની સાથે પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોને જયપ્રકાશભાઈ તરફથી જવાબ આપવામાં આવશે.
વર્ષ 2001 માં આવેલ ભૂકંપની સચોટ આગાહી કરનાર મૂળ લીલીયા મોટાના રહેવાસી જ્યોતિ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક મોરબીના મોરબીના રામધન આશ્રમ ખાતે આવ્યા છે અને તેઓનો તા. 5-3-2026 ને ગુરુવારના સત્સંગ પણ રાખવામા આવેલ છે ત્યારે ધર્મ પ્રેમી ભાઈઓને ધર્મ અંગે, પોતાની જિજ્ઞાસાને લગતા પ્રશ્નો પૂછવા હોય તો પૂછશે અને જયપ્રકાશભાઈ તેઓને ઉત્તર આપશે. ઉલેખનીય છે કે, જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીને બહેન માને છે અને તેઓ મહામંડલેશ્વર રત્નેશ્વરદેવીની લાગણીને માન આપીને મોરબી આવ્યા છે અને તેઓની હાજરીમાં ગુરુવારે રાતે 8:00 થી 10:00 વાગ્યાં સુધીનો સત્સંગનો કાર્યક્ર્મ રહેશે તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે. ઉલેખનીય છેકે, જયપ્રકાશભાઈ માઢક દ્વારા જે રીતે ભૂકંપની આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે યુદ્ધની ઈરાન જેવા દેશોની પણ આગાહી કરવામાં આવી હતી જે હાલમાં સાચી ઠરી છે.