મોરબીના રામધન આશ્રમ ખાતે જ્યોતિશ શાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢકની હાજરીમાં ગુરુવારે રાતે સત્સંગનું આયોજન
મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
SHARE
મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૫૪ કેમ્પમાં કુલ ૧૫૨૩૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવામાં જલારામ ધામ ખાતે તાજેતરમાં યોજાયેલ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૪ દર્દીને નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગ થી યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી તેવી માહિતી નિર્મિતભાઇ કક્ક્ડ પાસેથી જાણવા મળેલ છે.