નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું


SHARE





મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું

મોરબીના ઐતિહાસિક 'સૂરજબાગ'ના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં શહેરીજનોને આ આધુનિક સુવિધા સાથે સજ્જ બાગનું નવું નજરાણું મળશે.

મોરબી શહેરની શાન ગણાતા વર્ષો જૂના સૂરજબાગને આધુનિક બનાવવાનું કામ મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં આશરે ૩૦ ટકા જેટલું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બગીચામાં જમીન લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ બગીચામાં વોકિંગ ટ્રેકનું માળખું અને સીમાઓ નક્કી કરી દેવામાં આવી છે. તથા ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું છે. જો કે, કમ્પાઉન્ડ વોલનું કામ હાલ પ્રગતી હેઠળ છે. અને હવે પછીના તબક્કામાં બાળકો માટેના પ્લે-એરિયા, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન (વૃક્ષારોપણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.




Latest News