મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
SHARE
મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું
મોરબીના ઐતિહાસિક 'સૂરજબાગ'ના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં શહેરીજનોને આ આધુનિક સુવિધા સાથે સજ્જ બાગનું નવું નજરાણું મળશે.
મોરબી શહેરની શાન ગણાતા વર્ષો જૂના સૂરજબાગને આધુનિક બનાવવાનું કામ મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં આશરે ૩૦ ટકા જેટલું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બગીચામાં જમીન લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ બગીચામાં વોકિંગ ટ્રેકનું માળખું અને સીમાઓ નક્કી કરી દેવામાં આવી છે. તથા ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું છે. જો કે, કમ્પાઉન્ડ વોલનું કામ હાલ પ્રગતી હેઠળ છે. અને હવે પછીના તબક્કામાં બાળકો માટેના પ્લે-એરિયા, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન (વૃક્ષારોપણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.