ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું


SHARE













મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું

મોરબીના ઐતિહાસિક 'સૂરજબાગ'ના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં શહેરીજનોને આ આધુનિક સુવિધા સાથે સજ્જ બાગનું નવું નજરાણું મળશે.

મોરબી શહેરની શાન ગણાતા વર્ષો જૂના સૂરજબાગને આધુનિક બનાવવાનું કામ મોરબી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ વિષે માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં આશરે ૩૦ ટકા જેટલું સિવિલ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બગીચામાં જમીન લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ બગીચામાં વોકિંગ ટ્રેકનું માળખું અને સીમાઓ નક્કી કરી દેવામાં આવી છે. તથા ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું છે. જો કે, કમ્પાઉન્ડ વોલનું કામ હાલ પ્રગતી હેઠળ છે. અને હવે પછીના તબક્કામાં બાળકો માટેના પ્લે-એરિયા, બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન (વૃક્ષારોપણ) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.








Latest News