મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત


SHARE

















ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતો યુવાન માનસિક અસ્થિરતાના કારણે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાં પોતાની જાતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામે રહેતા મહેશભાઈ મોહનભાઈ પરમાર (44) નામનો યુવાન ગત તા. 24/6 ના વહેલી સવારના માનસિક અસ્થિરતાના કારણે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ સીમમાં આવેલ કેશુભાઈ અમરાભાઇ સોલંકી ની વાડીએ આવેલ કુવામાં પોતે પોતાની રીતે કોઈપણ કારણોસર પડી જવાના કારણે કુવાના પાણીમાં ડૂબી જવાથી મહેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રેમજીભાઈ માધાભાઈ પરમાર (54) રહે. ઘુનડા (ખા) વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નવા અંજિયાસર ગામે ઘરે મારામારીના બનાવવામાં રહીમાબેન રસુલભાઈ માણેક (50) નામના આધેડ મહિલાને ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી ગયો

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો નવલ રઘુભાઈ મોહનિયા (25) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News