મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત


SHARE











વાંકાનેરના ઠીકરીયાળા ગામનો બનાવ: સાસુના આડા સબંધની જાણ થયા બાદ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતી પરિણીતાને તેના સાસુના આડાસંબંધ જાણ થઈ હતી જેથી કરીને તેને તેના પતિને તે અંગેની વાત કરી હતી ત્યાર બાદ સાસુ અને પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેટ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણી નામની પરિણીતાએ સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક મહિલાના માતા પ્રભાબેન રાઘુભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી રહે. બંને ઠીકરીયાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થતાં હતા અને ફરિયાદીની દીકરીને તેના સાસુના આડા સંબંધોની જાણ થઈ ગયેલ હતી જેથી તેણે પોતાના પતિને આ અંગેની વાત કરી હતી ત્યાર બાદ ફરિયાદીને દીકરીને તેના સાસુ અને પતિ દ્વારા શરરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેણે આપઘાત કરેલ છે. વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, છેલ્લા બે વર્ષથી મૃતક શીતલબેનને નાની નાની વાતમાં મેણા ટોણા મારીને દુખત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતાં હતા આટલુ જ નહીં તેણે પિયરમાં ફોન પર વાત પણ કરવા દેતા ન હતા જેથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News