મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના માળિયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાજી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના માળિયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાજી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લામાં આવેલા માળીયા મિંયાણા ખાતે બીડી પીતા સમયે દાઝી ગયેલા વૃદ્ધને સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અત્રે ટૂંકી સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયા મિંયાણા ખાતે રહેતા ઈશાભાઈ વીરાભાઇ જેડા નામના ૯૦ વર્ષના વૃદ્ધ તેઓના ઘરે બીડી પિતા હતા.તે દરમિયાન આગ લાગી જતા દાઝી ગયા હોય સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.અને અત્રે ટૂંકી સારવાર દરમિયાન ઈશાભાઈ જેડાનું મોત નિપજયુ હતું.બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે માળિયા(મિં) પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ગૌતમ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રફુલચંદ્ર ચતુરભાઈ અગોલા નામના ૭૫ વર્ષના વૃદ્ધ સોમનાથ સોસાયટીના બગીચા પાસે હતા ત્યાં તેમને અકસ્માત બનાવમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ખીજડીયા ગામે રહેતા ભાનુબેન ત્રિભોવનભાઈ વડારીયા (૬૯) નામના વૃદ્ધા ટંકારા-ખીજડીયા રોડ ઉપરથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થયેલ હોય જમણા પગે ઇજા થતાં તેમને પણ અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના રાજસ્થળી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા મનસુખભાઈ સવજીભાઈ ડાભી (૪૮) ને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હોય પોલીસે બનાવની નોંધ કરીને તપાસ કરી હતી.

દવા પી જતા સારવારમાં

માળીયા મિંયાણાના ખીરઈ ગામે ભાવેશભાઈની વાડીએ રહીને મજૂર કામ કરતા પરિવારની શિવાનીબેન સેલુભાઈ મહેસાણીયા નામની ૨૧ વર્ષીય યુવતી ભુલથી દવા પી ગઈ હોય તેને અત્રેની સીવીલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામે જય નગર વિસ્તારમાં રહેતા ડાયાભાઈ ભવાનભાઈ ગજેરા નામના ૫૦ વર્ષના આધેડ ઘરેથી ટંકારા તરફ જતા હતા ત્યારે હીરાપર-કલ્યાણપરના રસ્તે ખોડીયાર મંદિર નજીક તેઓના બાઈકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં ડાયાભાઈને ઇજાઓ થઈ હોય અત્રે આયુષ હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ ટંકારાના ઓટાળા ગામ નજીક રીક્ષા પલ્ટી ગઈ હોય ઈજા પામેલા શૈલેષભાઈ દામજીભાઈ ઉકેડીયા (૪૦) રહે.નેસડા તા.ટંકારાને ૧૦૮ વડે અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર આવેલ સરતાનપર રોડ વાડી વિસ્તારમાં લેન્ડ ડેકોર સિરામિક નજીક રહી મજૂરી કામ કરતા પરિવારના નરવિનભાઈ બાબુભાઈ નદીસારીયા (૩૧) તથા જનકબેન નવીનભાઈ (૨૭) ને ઘર પાસે મારામારીના બનાવમાંં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ વાંકાનેર હાઇવે ઢુવા પાસે આવેલ સનહાર્ટ સીરામીક નજીકથી બાઈક લઈને પસાર થઈ રહેલા નરસીભાઈ મઢવી (ઉંમર ૬૫) રહે.ધરતી એપાર્ટમેન્ટ ભવાની સોડા વાળી શેરી શનાળાનું બાઈક સ્લીપ થયેલ હોય ઇજા પામતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News