મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી મહિલાને તેના પતિએ રસોઈ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે મહિલાને લાગી આવ્યું હોય તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં મહમદહુસેન ખોરજીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ ઉર્ફે વિશાલભાઈ નાયકના પત્ની મંજુલાબેન (40)એ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ રાજેશભાઈ નાયક દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને રસોઈ બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપ્યો હતો જે બાબતે મહિલાને લાગી આવતા તેણે ઝેરી દવા આપઘાત કર્યો છે તેવી વિગત સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના ખારચિયા ગામના અરવિંદભાઈ પરસોતમભાઈ શેરસીયા નામના ૬૨ વર્ષના વૃદ્ધ તા.૩-૨ ના રાત્રિના નવેક વાગ્યે વાડી વિસ્તાર બાજુથી પરત નવા ખરચિયા ગામે ઘર તરફ જતા હતા ત્યારે જામનગર હાઇવે ઉપર હનુમાન મંદિર નજીક તેમના મોટરસાયકલને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અરવિંદભાઈને સારવાર માટે ખસેડાયા હતા બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના નવા અમરાપર ગણેશપુર વિસ્તારમાં રહેતા જયાબેન ચૌહાણ નામના ૫૪ વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને વાડીએ જતા હતા ત્યારે અચાનક ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થયેલ હોય જમણા હાથના ભાગે ઇજાઓ થવાથી જયાબેનને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News