મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા


SHARE











મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા

મોરબી નાગરિક સહકારી બેંકના 9 પૈકીના 6 ડિરેક્ટરો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ જાહેર થયા બાદ આજે મોરબી નાગરિક બેન્ક ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમા ચેરમેન પદે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે.

મોરબી નાગરિક બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ 9 પૈકીના કુલ 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જોકે, 6 ડિરેક્ટરો માટે જુદી જુદી 2 પેનલોમાંથી કુલ મળીને 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેથી કરીને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ફૂલની પેનલમાંથી 5 અને સિંહની પેનલમાંથી 1 આમ કુલ 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા જેથી મોરબી નાગરિક સહકારી બેંકના કુલ 9 ડિરેક્ટરો જાહેર થઈ ગયા બાદ આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને નવા ડિરેક્ટરોની પ્રથમ બેઠક મળી હતી જેમાં બેંકના કુલ 9 ડિરેક્ટરોમાંથી 8 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. જેમાં દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેશિયા, મનીષભાઈ ઓગણજા, જ્યોતિબેન મીરાણી, વિજયભાઈ મકવાણા અને અશ્વિનભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા. અને આ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે. અને આ બેન્કને નાનિયુકત ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં મોરબી નાગરિક બેંકની સેવાઓ વધુમાં વધુ ડિજિટલ બને અને લોકો તેનો વધુમાં વધુ લાભ લે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. .






Latest News