મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા


SHARE













મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા

મોરબી નાગરિક સહકારી બેંકના 9 પૈકીના 6 ડિરેક્ટરો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેનું પરિણામ જાહેર થયા બાદ આજે મોરબી નાગરિક બેન્ક ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમા ચેરમેન પદે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે.

મોરબી નાગરિક બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ 9 પૈકીના કુલ 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જોકે, 6 ડિરેક્ટરો માટે જુદી જુદી 2 પેનલોમાંથી કુલ મળીને 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેથી કરીને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ફૂલની પેનલમાંથી 5 અને સિંહની પેનલમાંથી 1 આમ કુલ 6 ઉમેદવારો વિજેતા બન્યા હતા જેથી મોરબી નાગરિક સહકારી બેંકના કુલ 9 ડિરેક્ટરો જાહેર થઈ ગયા બાદ આજે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને નવા ડિરેક્ટરોની પ્રથમ બેઠક મળી હતી જેમાં બેંકના કુલ 9 ડિરેક્ટરોમાંથી 8 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. જેમાં દીપકભાઈ પોપટ, પરેશભાઈ કચોરિયા, સંજયભાઈ ધોળકિયા, ભૂપતભાઈ રવેશિયા, મનીષભાઈ ઓગણજા, જ્યોતિબેન મીરાણી, વિજયભાઈ મકવાણા અને અશ્વિનભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા. અને આ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન તરીકે દીપકભાઈ પોપટ અને વાઇસ ચેરમેન તરીકે મનીષભાઈ ઓગણજાની વરણી કરવામાં આવી છે. અને આ બેન્કને નાનિયુકત ચેરમેન દીપકભાઈ પોપટે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં મોરબી નાગરિક બેંકની સેવાઓ વધુમાં વધુ ડિજિટલ બને અને લોકો તેનો વધુમાં વધુ લાભ લે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. .






Latest News