મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી: માળીયાના જાજાસર ગામે દેવ સોલ્ટ આયોજીત નિઃશુલ્ક તબીબી કેમ્પનો ૧૩૦ થી વધુલોકોએ લાભ લીધો


SHARE







મોરબી: માળીયાના જાજાસર ગામે દેવ સોલ્ટ આયોજીત નિઃશુલ્ક તબીબી કેમ્પનો ૧૩૦ થી વધુલોકોએ લાભ લીધો

દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા દેવ ગ્રુપ ઓફ કંપનીઝના સહયોગથી મોરબીના માળીયા તાલુકાના જાજાસર ગામની જાજાસર પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક તબીબી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનું આયોજન આઇએમએ-મોરબીના નિષ્ણાત ડૉક્ટરોની ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું.તબીબી ટીમમાં ડૉ.મયુર કલારિયા (એમએસ, ઓર્થોપેડિક્સ), ડૉ.મિલન (એમડી-ફિઝિશિયન), ડૉ.કલ્પેશ રંગપરિયા (ચામડી રોગ વિશેષજ્ઞ), ડૉ.દર્શન નાયકપરા (બાળ રોગ વિશેષજ્ઞ), ડૉ.કેયુર જાવીચા (સ્ત્રીરોગ વિશેષજ્ઞ), ડૉ.દીપ ભાડજા, તથા ડૉ.વિમલ (એમએસ, જનરલ સર્જરી) નો સમાવેશ થતો હતો.જાજાસર તેમજ આસપાસના ગામોના ૧૩૦ કરતાં વધુ દર્દીઓએ આ તબીબી શિબિરનો લાભ લીધો હતો.

જ્યાં તેમને એક જ સ્થળે તબીબી સલાહ, નિદાન અને નિષ્ણાત માર્ગદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.આ પહેલ દ્વારા ગ્રામજનોને એક જ સ્થળે અનેક વિશેષજ્ઞ ડૉક્ટરોની સલાહ મેળવવાની મહત્વપૂર્ણ તક મળી હતી.જેના પરિણામે સરળ, સમયસર અને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ સુલભ બની હતી.આ તબીબી શિબિરનું સફળ આયોજન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેરના જનરલ મેનેજર ટોમિ એન્ટોની તેમજ આબેદિન જેડા, રમજાન જેડા, ડૉ.દિવ્યમ ધોકિયા, સામત સવસેટા, સાહિબ, તાજમમદ અને અન્ય સ્વયંસેવકોના સમર્પિત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.કંપનીના અધિકારીઓએ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા અને સહયોગ બદલ દેવગઢ ગામના સરપંચ કાનાભાઈ સવસેટા તથા શાળાના આચાર્ય હરદેવભાઈ કાનગડ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. #morbi






Latest News