રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન


SHARE









મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન

મોરબી તાલુકામાં કર્મયોગી તરીકે ફરજ બજાવતા કડવા પાટીદાર પરિવારના બંધુ ભગીનીઓનું ગ્રૂપ શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલનમોટિવેશન  અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન રવાપર ઘુનડા રોડ પર આવેલ દ્વારકાધીશ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પાટીદાર શિક્ષક સમાજના ફાઉન્ડર સંદીપભાઈ આદ્રોજા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, દિનેશભાઈ વડસોલા, સહિતના ખાસ હાજર રહ્યા હતા. આ સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12 તેમજ મેડિકલના MBBS, M.D.ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં કલાસ-2 એવા ટંકારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણણાધિકારી ધર્મેન્દ્રભાઈ જીવાણી તેમજ અન્ય બઢતી પામેલ કર્મયોગીનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન કર્યું હતું. આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમનુ સંચાલન શૈલેષ ઝાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, રાજેશભાઈ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News