મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો-સાયબર ક્રાઈમની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું
SHARE
વાંકાનેરના કોઠારીયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય હિમાંશુભાઈની બદલી થતા વિદાયમાન અપાયું
વાંકાનેરના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા અને દર્શનાબેન સરડવાને કોઠારીયા કુમાર શાળા, કોઠારીયા કન્યા શાળા તથા નવા કોઠારીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વિદયા સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પૂર્વ શિક્ષક દયારામ તથા ઝાલાભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમાર શાળાના આચાર્ય કિશોરભાઈ રોહડીયા, કન્યા શાળાના આચાર્ય રમેશભાઈ પડસુંબીયા, નવા કોઠારીયા પ્રાથમિક શાળાના આચાર્ય અનિમેષભાઈ દુબરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ સરપંચ આંબાભાઈ કોબિયા, ઉપસરપંચ ફારૂકભાઈ કડીવાર, જિલ્લા સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ, વાંકાનેર તાલુકા શાળા નંબર-૨ ના આચાર્ય બાબુલાલ તથા પારેખભાઇ તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાળકો અને શિક્ષકોમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે હિમાંશુભાઇ દ્વારા ૧૧,૧૧૧ નું શાળાને અનુદાન આપેલ હતું.