મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


SHARE











મોરબીના રિલીફનગરમાં દુકાન પાસે ગાળો બોલવાની ના કહેતા વેપારીને છરીનો ઘા ઝીકયો


મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં રિલીફ નગર પાસે દુકાન ધરાવતા વેપારીની દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના કહી હતી જેથી તેને પોતાની પાસે રહેલ છરી વળે દુકાનદાર યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને ખભાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી કરીને દુકાનદાર યુવાનને ખભાના ભાગે ઈજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હતું જેથી તાત્કાલિક તે યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે હુમલા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના રિલીફનગર બ્લોક નંબર-૫૬ માં રહેતાં જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઠાકોરદાસ કાંજીયાણી જાતે સિંધી લોહાણા (ઉમર ૩૮) એ હાલમાં મોરબીના ભીમસર વિસ્તારની અંદર રહેતા અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, રિલિફ નગર બ્લોક નંબર -૫૬ પાસે તેની હિંગળાજ મેગા મોલ નામની દુકાન આવેલ છે આ દુકાન પાસે ઉભા રહીને અર્જુન ગાળો બોલતો હતો જેથી કરીને તેને ગાળો બોલવાની ના કહી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા અર્જુને તેની પાસે રહેલી છરી વડે જેઠાનંદ ઉર્ફે જયેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને તેઓને ડાબા ખભા ઉપર છરીનો ઘા મારી દીધો હતો જેથી જેઠાનંદ દ્વારા હાલમાં અર્જુન પોપટભાઈ કુંઢીયાની સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.






Latest News