મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે જવાબદારીમાંથી મુક્ત ન થવું જોઇએઃ જાગૃતિબેન પંડ્યા


SHARE











કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે જવાબદારીમાંથી મુક્ત ન થવું જોઇએઃ જાગૃતિબેન પંડ્યા
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન હરેન પંડ્યાના અધ્‍યક્ષ સ્‍થાને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કઇ રીતે સુરક્ષીત રાખી શકાય તે વિષયને ધ્યાને લઇને કલેકટર કચેરીના સભાખંડમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, નિષ્‍ણાંતોના જણાવ્યા પ્રમાણે આવનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને વધારે અસર કરશે. આપણે કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે આપણી જવાબદારી માંથી મુક્ત ન થવુ જોઇએ વધુમાં જાગૃતીબેન પંડ્યાએ બાળકોને લગતી દરેક સમિતિમાં પદાધિકારીઓએ જોડાઈ તમામ યોજનાની માહિતી ગામના દરેક ખુણે પહોંચે તેવા આયોજન પર ભાર મુક્યો હતો.
 બાળ આયોગના પ્રોગામ ઓફીસર શતાબ્‍દીબેન પાન્‍ડેએ જણાવ્યું હતુ, કે સંભવિત કોરોનાની ત્રીજી લહેર બાબતે જે આયુષ વિભાગની ગાઇડલાઇન અનુસાર સંભવીત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષીત રાખવા માટે ગ્રામ્ય લેવલની કુલ ૩૫૫ સમિતિઓ બનાવામાં આવી છે. જિલ્‍લા પંચયાતના પ્રમુખ ચંદુભાઇએ ઘરના દરેક સભ્‍યએ સ્‍વચ્છતા રાખવી, હાથ સેનેટાઇઝર કરવા, સોશ્યલ ડિસ્‍ટન્‍ટ રાખવા અનુરોધ કર્યો હતો. જેથી ઘરમાં બાળકો પણ તે રીતે તેનું અનુકરણ કરે છે આ બેઠક દરમ્યાન મારુ ગામ કોરોના મુક્ત અને મારા ગામનું બાળક કોરોના મુક્ત બાળકના શપથ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્‍લા કલેકટર જે.બી. પટેલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયા, બાળ કલ્‍યાણ સમિતિના ચેરમેન રાજુભાઇ બદ્રકીયા, જિલ્‍લા તેમજ તાલુકાના બાળકોને લગતી સમિતિના ચેરપર્સન તેમજ વિવિધ સમિતિઓના સભ્‍યો હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News