મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ


SHARE











મોરબીના નવયુગ સંકૂલ ખાતે સૌરાષ્ટ્ર યુનિ. હેઠળની કોલેજોમાં વેકસીનેશન અભિયાન માટે મીટીંગ યોજાઇ


ગુજરાત સરકારના વેક્સિનેશન અભિયાનને વેગવંતુ બનાવવા ની માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં ભણતા સ્ટુડન્ટ્સ અને તેના પરીવારજનોને વેકસીનેશન કરવાના અભિયાનના સંદર્ભમાં એક મીટીંગનું આયોજન નવયુગ કોલેજના આંગણે કરવામાં આવ્યું હતું.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો.ગીરીશભાઈ ભીમાણી ઉપસ્થિતિ રહ્યા હતા અને સૌએ આગામી સમયમાં દરેક સ્ટુડન્ટને કઈ રીતે વેકસીન આપી શકાય અને સ્ટુડન્ટ કઇ રીતે સમાજમાં વેક્સીનેશન બાબતે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી શકે તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા એ સમાપન કરતા જણાવ્યું કે આવનારા સમયમાં મોરબી જિલ્લા ની તમામ કોલેજોના વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સનું સફળતાપૂર્વક ૧૦૦% વેક્સીનેશન થાય તે માટે બધી કોલેજો દ્રારા પુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે અને કોઇ કોલેજને કોઇપણ પ્રકારની જરૂર હોય તો તે નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્રારા પુરી પાડવાની તૈયારી પણ બતાવી હતી. આ મીટીંગમાં મોરબી શહેર અને જીલ્લાની તમામ કોલેજોના આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નવયુગના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયાના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફએ જહેમત ઉઠાવી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News