પાવડરની આડમાં ગોરખધંધા: માળિયા (મી) હાઇવે રોડેથી 2256 બીયર ભરેલ ટ્રક સાથે એક પકડયો, 33.45 લાખનો મુદામાલ કબજે માળીયા (મી)ના વેણાસાર નજીક ઝૂપડામાંથી બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં વેપારી યુવાનને વેરો ભરવા માટે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરના રાતડીયા ગામે પ્રેમ સબંધનો ખાર રાખીને યુવતીની માતા સહિત છ લોકોએ યુવાનને ધારિયા, પાઇપ અને લાકડી વડે મારમાર્યો મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૮૬ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબી જલારામ મંદિરે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૮૬ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિરે અયોધ્યાપુરી રોડ ઉપર રાખવામા આવે છે અને આ વખતેના કેમ્પની ૧૮૬ દર્દીઓએ લાભ લીધો હતો

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના સહયોગથી યોજાયેલ નેત્રમણી કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જીજ્ઞેશભાઈ કૈલા, હંસરાજભાઈ કૈલા, તરૂણભાઈ અઘારા, નૈમિષભાઈ પંડિત સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ત્યારે યોજાયેલા કેમ્પનો ૧૮૬ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૬૧ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.  આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૮ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૦૮૧ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૪૧૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૮૬ લોકોએ લાભ લીધો હતો તેમજ ૬૧ લોકો ના આવતીકાલે નેત્રમણી ઓપરેશન થશે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,નરેશભાઈ ઠક્કર, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ  તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડે જણાવ્યુ છે.








Latest News