નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત
SHARE








નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત
મોરબી જિલ્લામાથી કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ઘણા ટ્રકો ભરીને માલ મોકલવામાં આવે છે જેથી કરીને રસ્તા ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો નવલખીથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન માટેનું અંતર ઘટી જાય તેમ છે અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તેમ છે
મોરબી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને નવલખી બંદરથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બનાવવા માંગ કરેલ છે હાલમાં રોડ મારફતે કંડલા પોર્ટે માલ મોકલાવવામાં આવે છે જેથી કરીને સુરજબારી પુલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે ત્યારે કંડલા અને નવલખી બંને બંદરના વિકાસ માટે અને મોરબીના સિરામિક, સેનિટેશન, ઘડિયાળ, નળિયા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને જો સી-લીંક ફોરલેન નવલખીથી કંડલા સુધી બને તો માલ મોકલાવવા માટેનો સેમી ઘટી જશે કેમ કે દરિયાય માર્ગે કંડલા નવલખી થી માત્ર ૫૬ કિલો મીટર થાય છે હાલમાં જ્યારે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબીના વિકાસ માટે આ સી-લીંક ફોરલેન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે

