માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE













નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લામાથી કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ઘણા ટ્રકો ભરીને માલ મોકલવામાં આવે છે જેથી કરીને રસ્તા ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો નવલખીથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન માટેનું અંતર ઘટી જાય તેમ  છે અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તેમ છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને નવલખી બંદરથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બનાવવા માંગ કરેલ છે હાલમાં રોડ મારફતે કંડલા પોર્ટે માલ મોકલાવવામાં આવે છે જેથી કરીને સુરજબારી પુલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે ત્યારે કંડલા અને નવલખી બંને બંદરના વિકાસ માટે અને મોરબીના સિરામિકસેનિટેશનઘડિયાળનળિયા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને જો સી-લીંક ફોરલેન નવલખીથી કંડલા સુધી બને તો માલ મોકલાવવા માટેનો સેમી ઘટી જશે કેમ કે દરિયાય માર્ગે કંડલા નવલખી થી માત્ર ૫૬ કિલો મીટર થાય છે હાલમાં જ્યારે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબીના વિકાસ માટે આ સી-લીંક ફોરલેન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે 






Latest News