મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના ખાનપર ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત: વાંકાનેર નજીક અકસ્માતમાં યુવાનનું મોત હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
Breaking news
Morbi Today

નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE















નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લામાથી કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ઘણા ટ્રકો ભરીને માલ મોકલવામાં આવે છે જેથી કરીને રસ્તા ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો નવલખીથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન માટેનું અંતર ઘટી જાય તેમ  છે અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તેમ છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને નવલખી બંદરથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બનાવવા માંગ કરેલ છે હાલમાં રોડ મારફતે કંડલા પોર્ટે માલ મોકલાવવામાં આવે છે જેથી કરીને સુરજબારી પુલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે ત્યારે કંડલા અને નવલખી બંને બંદરના વિકાસ માટે અને મોરબીના સિરામિકસેનિટેશનઘડિયાળનળિયા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને જો સી-લીંક ફોરલેન નવલખીથી કંડલા સુધી બને તો માલ મોકલાવવા માટેનો સેમી ઘટી જશે કેમ કે દરિયાય માર્ગે કંડલા નવલખી થી માત્ર ૫૬ કિલો મીટર થાય છે હાલમાં જ્યારે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબીના વિકાસ માટે આ સી-લીંક ફોરલેન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે 






Latest News