મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE











નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લામાથી કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ઘણા ટ્રકો ભરીને માલ મોકલવામાં આવે છે જેથી કરીને રસ્તા ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો નવલખીથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન માટેનું અંતર ઘટી જાય તેમ  છે અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તેમ છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને નવલખી બંદરથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બનાવવા માંગ કરેલ છે હાલમાં રોડ મારફતે કંડલા પોર્ટે માલ મોકલાવવામાં આવે છે જેથી કરીને સુરજબારી પુલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે ત્યારે કંડલા અને નવલખી બંને બંદરના વિકાસ માટે અને મોરબીના સિરામિકસેનિટેશનઘડિયાળનળિયા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને જો સી-લીંક ફોરલેન નવલખીથી કંડલા સુધી બને તો માલ મોકલાવવા માટેનો સેમી ઘટી જશે કેમ કે દરિયાય માર્ગે કંડલા નવલખી થી માત્ર ૫૬ કિલો મીટર થાય છે હાલમાં જ્યારે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબીના વિકાસ માટે આ સી-લીંક ફોરલેન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે 






Latest News